અમદાવાદ ની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
અમૃતવાડી ખાતે જ્ઞાતિનો ઇનામ સમારંભ તથા ખીચડા ઉજાણી
તારીખ 5 જાન્યુઆરી 2025 ને રવિવાર
ખીચડા ઉજાણી માટે જે જ્ઞાતિજન ₹ 2,500 કે તેથી વધુ નું દાન આપશે તેઓના ઘરે તારીખ 4 જાન્યુઆરી શનિવારના રોજ ખીચડો પહોંચાડવામાં આવશે
જ્ઞાતિના વાર્ષિક દાતા
જ્ઞાતિમાં રૂપિયા 11,000 કે તેથી વધુ નું દાન કરી આપ વાર્ષિક દાતા બની શકો છો
વાર્ષિક દાતાને નો સમયગાળો જાન્યુઆરીથી ડિસેમ્બરનો ગણાય છે
વાર્ષિક દાતાને જ્ઞાતિના તમામ કાર્યક્રમોનો પ્રસાદ આપવામાં આવે છે (ખીચડા સહિત)
તથા જ્ઞાતિના તમામ જાહેર કાર્યક્રમોમાં બેનર સ્વરૂપે તેઓ ના નામ જાહેર કરાય છે
જ્ઞાતિના સાથ સહકાર માટે આપ ખુલ્લા મને દાન આપો તેવી અપીલ
આપ આપનું દાન
બેંકમાં ઓનલાઇન
અથવા
ક્યુ આર કોડ થી
પણ કરી શકો છો
અથવા
જ્ઞાતિની ઓફિસે રૂબરૂ આવી રોકડા અથવા ચેક આપી શકો છો
આ સાથે ચાલુ વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓની બુકલેટ ની સોફ્ટકોપી મોકલવામાં આવી રહી છે
જ્ઞાતિના હિતચિંતકો ને વિનંતી કે
તેઓ આવતીકાલે બપોરે 12 કલાકે સીજી રોડ ઓફિસે આવે
અને આ બુકલેટ નું ટપાલમાં મોકલવાની કામગીરી નિહાળે
જેથી કરીને ટપાલ મળતી નથી તે બાબતમાં જ્ઞાતિની ઓફિસ પર થતા આક્ષેપો સાચા છે કે ખોટા કે નક્કી કરી શકાય
જય બહુચર