જ્ઞાતિ ના ગરબા
બહુચરાજી સમર્પણ ખાતે 64 ખંડનું આયોજન
માતાજીની કૃપાથી આપણા સમાજના ગરબા આજે શનિવાર તારીખ 8 ઓક્ટોબરના રોજ અમૃતવાડી ખાતે યોજાયેલ છે
જેમાં સાંજે 7:00 કલાકથી ભોજન ની વ્યવસ્થા શરૂ થઈ જશે
અને રાત્રે 9 કલાકથી ગરબા શરૂ થશે
ગરબાના અંતે દૂધ પૌવા નું પણ આયોજન છે
ગરબા અંદાજે બાર વાગ્યા સુધી ચાલશે
ગરબામાં
નાના ભૂલકાઓના ગ્રુપ
યુવાનોનું ગ્રુપ
અને વડીલોના ગ્રુપને
1.બેસ્ટ પરફોર્મન્સ
2 બેસ્ટ ડ્રેસ
3 બેસ્ટ કપલ જેવા
ઇનામો આપવામાં આવશે
તદુપરાંત આ વર્ષે એક વધારાનું પણ ઇનામ ઉમેરવામાં આવ્યું છે
અને તે છે
બેસ્ટ ગ્રુપનું
એટલે આપ આપના ગ્રુપમાં પણ તમારી સ્ટાઇલ પ્રમાણે ગરબા રમી શકશો
જ્ઞાતિના ગરબા છે ખૂબ જ આનંદ અને ઉત્સાહ હોય
દરેક જણ સમયસર આવે
બહુચરાજી સમર્પણ ખાતે 64 ખંડનું આયોજન
જ્ઞાતિની પરંપરા મુજબ દર વર્ષે આસો માસની પૂનમના દિવસે
સમર્પણ બહુચરાજીના આપણા મંદિરમાં 64 ખંડ ભરવામાં આવે છે
આ કાર્યક્રમ આવતીકાલે રવિવારે તારીખ 9 ઓક્ટોબર ના રોજ યોજાયેલ છે
64 ખંડ ની આરતી સવારે 11:00 કલાકે થશે
સર્વે જ્ઞાતિજનો દર્શન નો લાભ લે
તો ચાલો ગરબા માટે તૈયાર થઈ જઈએ