શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
પગપાળા સંઘના પાસ બપોરે બહારથી સાંજે 5:00 વાગ્યા સુધીમાં જ્ઞાતિની ઓફિસમાંથી ₹260 ભરીને મેળવવાના રહેશે
પગપાળા સંઘ 2026
ધજાજી પધરામણી દિવસ આઠમો
જ્ઞાતિની પરંપરા મુજબ પગપાળા સંઘ ચૈત્ર સુદ અગિયારસ તારીખ 29 માર્ચ રવિવાર ના દિવસે અમૃતવાડીથી સાંજે સાત કલાકે અમદાવાદથી બહુચરાજી તરફ પ્રયાણ કરે છે
તે પૂર્વે ધજાજીની પધરામણી જ્ઞાતિજનોના નિવાસ્થાને વ્યવસાયના સ્થાને કરાય છે
ધજાજી ના પધરામણી સમયે જ્ઞાતિજનો તેને એક ઉત્સવ તરીકે ઉજવે છે
અને સગા સંબંધીઓની હાજરીમાં માતાજીનું સ્વાગત કરે છે
ધજાજી ને સાડી પ્રસાદ ભેટ કરાય છે
જ્ઞાતિજનોના ભાવ અને ભક્તિ અનેરી જોવા મળે છે
જેની લાક્ષણિક તસવીરો ધ્રુવીન ફોટોગ્રાફર તરફથી જૈમીનભાઇ જાડાવાળા ઉતારે છે
જેનો લાભ સમગ્ર જ્ઞાતિજનોને મળી રહ્યો છે
જય બહુચર